રાજકોટ/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા દરેક કોલેજોના પરીક્ષાને લઈને વ્યવસ્થા ગોઠવવા અને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલનની સૂચના આપવામાં આવી

Gujarat Rajkot
Untitled 160 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો

રાજય માં કોરોનાની બીજી  લહેર ઘાતકી જોવા  મળી હતી .જેમના  લીધે  અમુક રાજય માં  પ્રતિબંધ લગાવી દેવામાં  આવ્યો હતો . જે ઘટતા હવે  પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે  તેમજ  જે પરીક્ષાઓ મોકૂફ રખાઈ હતી  તે પણ શરૂ કરવામાં આવી છે . યુનિવર્સિટીના એક્સટર્નલ અને રેગ્યુલરના જુદા જુદા કોર્સના 11 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 40 જેટલા કેન્દ્રો પર કોવિડ-19ની ગાઈડલાઈન સાથે બીએ, બી.કોમ, એલએલબી સહિતની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષાઓની આજથી સવારે 10 વાગ્યાથી શરૂઆત કરવામાં આવી  છે .

આ પણ વાંચો :સોમનાથ મંદિરમાં આજથી હવે શ્રધ્ધાળુઓ આરતી-દર્શનનો લ્હાવો લઇ શકશે

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જ્યારે આજથી પરીક્ષા શરૂ થઈ છે ત્યારે સીસીટીવી મોનીટરીંગ દ્વારા દરેક સેન્ટર પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ભાદરવી પૂનમના રોજ ખુલ્લુ રહેશે

બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-2, બી.કોમ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, બી.એ (એક્સટર્નલ) સેમેસ્ટર-2 અને બીએ (એક્સટર્નલ) સેમેસ્ટર-4, એલએલબી સેમેસ્ટર-2ના જૂના કોર્સની, એલએલબી સેમેસ્ટર-2 વર્ષ 2016ના વિદ્યાર્થીઓની અને એલએલબી સેમેસ્ટર-2ના વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરૂ થઇ છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા દરેક કોલેજોના પરીક્ષાને લઈને વ્યવસ્થા ગોઠવવા અને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલનની સૂચના આપવામાં આવી હતી અને તે મુજબ જ પરીક્ષા લેવામાં આવી હતી.

આ પણ વાંચો :સમગ્ર સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ