પ્રખ્યાત બિલ્ડર અને રિયલ એસ્ટેટ ડેવલપર દ્વારા અમદાવાદની ગુફામાં આજે કેલિફોર્નિયામાં રોકાણ દરમિયાન લીધેલી તસવીરોનું પ્રદર્શન આજે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.
જેમાં કેલિફોર્નિયાનાં સમૃદ્ધ અને વૈવિધ્ય ધરાવતા સ્થાપત્યની આ તસવીરોને એક્ઝિબિશનમાં મૂકવામાં આવી. જેમાં કેટલીક સદીઓ જૂના સ્ટ્રક્ચર અને સ્મારકો પણ દર્શાવવામાં આવ્યા હતા. સાથે જ પરંપરાગત સ્થાપત્ય સાથે કેવી રીતે સમન્વય કરી શકાય તે બાબતોની શીખ પણ આ તસવીરો મારફતે જોવા મળી હતી. આ એક્ઝિબિશન આજથી 14 તારીખ સુધી સાંજનાં ચારથી આઠ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રખાશે.
આ એક્ઝિબિશનમાં અમદાવાદમાં આવેલી તમામ આર્ટ અને ફાયનાન્સની કોલેજનાં પ્રિન્સિપલને આમંત્રણ આપવમાં આવ્યુ. જેનો મુખ્ય હેતુ આ પેઇન્ટિંગનું વેચાણ થયા બાદ આર્ટ અને ફાયનાન્સની કોલેજનાં સ્ટુડન્ટને સ્કોલરશીપ આપવામાં આવશે. જે મુખ્ય હેતુસર આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…