‘ભારત બંધ’ અને તીવ્ર ખેડૂત આંદોલન વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહે ખેડૂત નેતાઓને સાંજે 7 વાગ્યે બેઠક માટે બોલાવ્યા છે. આ ખૂબ મહત્વની માહિતી છે કારણ કે તેઓએ આ બેઠક અચાનક બોલાવી છે, તે પણ ત્યારે જ્યારે સરકાર 9 ડિસેમ્બર એટલે કે બુધવારે ખેડૂત સંગઠનોને મળવા જઈ રહી છે.
માહિતી મળી રહી છે કે ખેડૂત નેતા આજે સાંજે સાત વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ એક અનૌપચારિક બેઠક હશે. સવારે અમિત શાહ તરફ ખેડૂતોને પ્રસ્તાવ મોલ્વામાં આવ્યો હતો. આ અંતર્ગત કુલ 13 સભ્યો ગૃહ પ્રધાનને મળશે.
અમિત શાહે સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂત નેતાઓને બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠકમાં રાકેશ ટીકૈતને પણ બોલાવવામાં આવ્યા છે. રાકેશ ટીકૈતે કહ્યું કે ‘મને ફોન આવ્યો, ગૃહ પ્રધાન અમિત શાહે એક બેઠક બોલાવી છે. અમે જઈશું અને અન્ય નેતાઓ મિટિંગમાં જશે. તેઓએ 7 વાગ્યે બોલાવ્યા છે.
ખેડૂત આંદોલન વચ્ચે PM મોદીએ પ્રકાશ સિંહ બાદલને કર્યો ફોન, જાણો શું કરી વાત
વડોદરામાં ટાયરો સળગાવી કોંગી કાર્યકર્તાઓએ હાઇવે પર કર્યો ચક્કકાજામ
ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન
અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ
લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…