આજકાલ કામનું દબાણ ઘણું વધી ગયું છે. સ્ત્રી હોય કે પુરૂષ, દરેકને પોતાના ઓફિસના ટાર્ગેટ પૂરા કરવા માટે તણાવનો સામનો કરવો પડે છે, તો બીજી તરફ ઘરની સંભાળ અને જવાબદારી પણ હોય છે. ઘર અને ઓફિસનું કામ સંભાળતી વખતે આપણે આપણું અંગત જીવન ભૂલી જઈએ છીએ. આ જ કારણ છે કે આજકાલ લોકો મોટાભાગે તણાવ અને ડિપ્રેશનમાં સરી પડે છે. નિષ્ણાતોના મતે, તણાવ અને હતાશા પાછળ કેટલીક આદતો છે, જેને બદલીને તમે તણાવ ઓછો કરી શકો છો.
લાંબા સમય સુધી બેસો નહીં
આજકાલ મોટાભાગના લોકો આખો દિવસ બેસીને કામ કરે છે. આખો દિવસ બેસી રહેવું એ સારી વાત નથી. લાંબા સમય સુધી બેસી રહેવાથી કમરનો દુખાવો, પેટમાં દુખાવો, ગેસ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતોના મતે, દરરોજ બેસીને કામ કરવાથી પણ તણાવ વધે છે, તેથી લાંબા સમય સુધી બેસીને કામ ન કરો.
પૂરતી ઊંઘ લો
આજકાલ નાઇટ કલ્ચર પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. ઘણીવાર લોકો માત્ર નાઈટ આઉટ કે પાર્ટી માટે જ નહીં પરંતુ મોડી રાત સુધી કામ કરવા માટે પણ જાગતા હોય છે. આ આદત બિલકુલ યોગ્ય નથી. ઊંઘ ન આવવાને કારણે તમે તણાવમાં આવી શકો છો, આની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.
આ પણ વાંચો:તમારો પતિ આખો દિવસ કામમાં જ વ્યસ્ત રહે છે? આ રીતે પામો પતિદેવનો પ્રેમ
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડને ગર્ભનિરોધક ગોળી ખવડાવતા પહેલાં જાણી લો
આ પણ વાંચો: ચાર બૉડી લેંગ્વેજથી ઓળખો પાર્ટનર સેક્સની ઈચ્છા ધરાવે છે…