સોશિયલ મીડિયા/ PM મોદી સહિત ઘણા નેતાઓનાં ટ્વિટર પર ઘટ્યા Followers, CEO ને લોકો કરી રહ્યા છે ફરિયાદ

દેશમાં ઘણા લોકો પોતોના વધુ ફોલોવર્સનાં કારણે પોતાની વાતને સરળતાથી લોકો સુધી પહોંચાડી શકે છે. જો કે તાજેતરમાં એક માહિતીએ સામે આવી રહી છે, તે મુજબ ટ્વીટરને જ લોકો હવે ટ્રોલ કરી રહ્યા છે.

Top Stories India
PM Modi ટ્વિટર ફોલોવર્સ ગાયબ

સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે દુનિયાનાં લગભગ તમામ લોકો કરી રહ્યા છે. કોઇ પણ જાણકારીનું આદાન-પ્રદાન માટે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. વળી ઘણા લોકો પોતોના વધુ ફોલોવર્સનાં કારણે પોતાની વાતને સરળતાથી લોકો સુધી પહોંચાડી શકે છે. જો કે તાજેતરમાં એક માહિતીએ સામે આવી રહી છે, તે મુજબ ટ્વીટરને જ લોકો હવે ટ્રોલ કરી રહ્યા છે. જાણો શું છે કારણ-

11 65 PM મોદી સહિત ઘણા નેતાઓનાં ટ્વિટર પર ઘટ્યા Followers, CEO ને લોકો કરી રહ્યા છે ફરિયાદ

આ પણ વાંચો – સંકટ / વિશ્વનાં 34 દેશ સુધી પહોંચ્યો Omicron, દ.આફ્રિકામાં રોજ ડબલ થઇ રહ્યા છે કેસ

આપને જણાવી દઇએ કે, ગત દિવસે એટલે કે ગુરુવાર, 2 ડિસેમ્બરની સાંજે, અચાનક ટ્વિટર પર લાખો યુઝર્સનાં એકાઉન્ટમાંથી ફોલોવર્સ ઘટી ગયા. ફોલોવર્સની સંખ્ય એક યુનિટથી ઘટીને 38 હજાર થઈ ગઈ છે. જે લોકોનાં ફોલોવર્સ લાખોની સંખ્યામાં હતા તેમના ફોલોવર્સની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. આટલું જ નહીં, ઘણા ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ છીનવી લેવામાં આવ્યો હતો. આવા લોકોમાં મોટા-મોટા પ્રતિષ્ઠિત લોકો, રાજનેતાઓ, મંત્રીઓ, મીડિયા પર્સન અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ સામેલ હતા. આટલુ જ નહી મળી રહેલી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અલગ-અળગ મોટા નેતાઓનાં પણ ફોલોવર્સ ઘટી ગયા છે. વળી બોલિવૂડની વાત કરીએ તો (બિગ બી) અમિતાભ બચ્ચનનાં પણ ફોલોવર્સમાં મોટી સંખ્યામાં ઘટાડો થયો છે. આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિપ્રણવ મુખર્જીનાં દિકરી શર્મિષ્ઠાનાં પણ ફોલોવર્સમાં મોટી સંખ્યામાં ઘટાડો થયો છે. ટ્વિટર પર અચાનક આ ફેરફારથી યુઝર્સ પરેશાન થઈ ગયા છે. લોકો ટ્વિટર હેલ્પ ડેસ્ક અને CEO પરાગ અગ્રવાલને ટેગ કરીને ફરિયાદ કરી રહ્યા છે. એકબાજુ ફોલોવર્સની અછતને કારણે જ્યાં એક તરફ લોકો પરેશાન છે. એવું માનવામાં આવે છે કે ટ્વિટરે ફેક એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે. જેના કારણે ફોલોવર્સ ઘટી ગયા છે.

PM Modi ટ્વિટર ફોલોવર્સ ગાયબ

આ પણ વાંચો – IND Vs NZ / અંતિમ ટેસ્ટ મેચમાં શું છે હવામાન વિભાગની આગાહી? વાનખેડેની પિચ કરી શકે છે ભારતને લાભ

ટ્વિટર પર અચાનક કેમ ઘટી ગયા ફોલોવર્સ?

ગુરુવાર સાંજથી મોડી રાત સુધી બધા આ સવાલનો જવાબ શોધી રહ્યા હતા, ઘણા યુઝર્સે ટ્વિટર હેલ્પ ડેસ્ક તેમજ પરાગ અગ્રવાલને પણ ટેગ કરીને તેના વિશે પ્રશ્નો પૂછી રહ્યા હતા જેઓ તાજેતરમાં Twitter નાં CEO બન્યા હતા. ઘણા લોકો તેમના ફોલોવર્સ કેમ ડાઉન થયા છે અથવા તેમનુ બ્લુ ટિક કેમ છીનવી લેવામાં આવ્યુ છે તે જાણવા માટે ટ્વિટર તરફથી સત્તાવાર નિવેદનની પણ રાહ જોઇ રહ્યા છે. જો કે, જ્યારે આની તપાસ કરવામાં આવી ત્યારે માત્ર એટલું જ જાણવા મળ્યું કે ટ્વિટરનાં સત્તાવાર એકાઉન્ટમાંથી લગભગ 4 વાગ્યે શેર કરવામાં આવેલા ટ્વિટ મેસેજ અનુસાર, ટ્વિટરે આવા ઘણા એકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે જે નકલી અથવા ખોટી પ્રવૃત્તિમાં સામેલ હતા. જોકે ટ્વિટરે 5-6 દેશોનાં 3 હજારથી વધુ એકાઉન્ટની માહિતી શેર કરીને આ કાર્યવાહીની વાત કરી હતી, પરંતુ તેમાં ન તો ભારત દેશનું નામ સામેલ છે અને ન તો તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યુઝર્સનાં ફોલોવર્સની સંખ્યામાં કેમ ઘટાડો થયો છે?