દિવાળીના તહેવારમાં મીઠાઇ અને ફરસાણ ના વેપારીઓને જલ્સા પડી જતાં હોય છે. દિવાળી આવતા જ તેમના વ્યવસાયમાં તેજી આવે છે. તો સાથે સાથે મીઠાઇ અને ફરસાણમાં ભેળ સેલનું પ્રમાણ પણ વધી જાય છે.
જ્યારે ફૂડ વિભાગ દ્વારા પણ દિવાળી સમયે જ જાણે નિંદ્રા માઠી જાગ્યું હોય તેમ મીઠાઇ અને ફરસાણ ની દુકાનો પર ચેકીંગ હાથ ધરવામા આવે છે. જામનાગર ખાતે પણ ફૂડ વિભાગ દ્વારા શહેરની નામાંકિત મીઠાઈની દુકાનમાં દરોડા પાડવામા આવ્યા હતા.
જે અંતર્ગત અંબિકા ડેરી ફાર્મમાં ફૂડ વિભાગએ ચેકીંગ હાથ ધર્યું હતું . માવા પાઈનેપલ સહિતની મીઠાઈના નમૂના લેવામા આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.