લખીમપુરમાં થયેલી હિંસા બાદ સમગ્ર યુપી આ સમયે રાજકીય અખાડો બની ગઇ છે. વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. લખીમપુર ખેરી જતા પ્રિયંકા ગાંધીને સવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ ત્યાં આવવાની મનાઇ કરી દીધી છે. અનેક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યાં છે. અખિલેશ યાદવની પણ અટકાયત કરી છે .આ મામલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું છે. ઉત્તરપ્રદેશ નવું જમ્મુ કાશ્મીર છે.
Uttar Pradesh is the “naya J&K”.
— Omar Abdullah (@OmarAbdullah) October 4, 2021
ઉલ્લેખનીય છે કે, રવિવારે લખીમપુરમાં બે મંત્રીઓની મુલાકાતને લઈને ફાટી નીકળેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. તેમાંથી ચાર ખેડૂતો છે. આ કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મોડી રાત્રે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાદમાં પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા.