ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેઓ 30 ઓક્ટોબરે મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે અને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગરની મુલાકાત લેશે, એમ રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન તેમના વતન, વડનગરની નજીક સ્થિત ખેરાલુમાં એક કાર્યક્રમમાં શિલાન્યાસ અને પૂર્ણ થયેલ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરે તેવી અપેક્ષા છે. પીએમ ત્યાં જાહેર સભાને પણ સંબોધશે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
31 ઓક્ટોબરના રોજ, પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ એકતાનગરની મુલાકાત લેશે, જ્યાં તેઓ એકતા દિવસ અથવા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એક કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. શાહ મંગળવારે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે IFFCOના નવા DAP (ડાયમોનિયમ ફોસ્ફેટ) પ્લાન્ટનું ઉદઘાટન કરશે અને અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
ભાજપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શાહ મંગળવારે ગાંધીનગર જિલ્લાના માણસામાં એસડી આર્ટસ અને બીઆર કોમર્સ કોલેજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ DAP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા સાણંદમાં એક કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરશે.
આ પણ વાંચોઃ Putin-Heart Attack/ રશિયન પ્રમુખ વ્લાડીમીર પુતિનને આવ્યો હાર્ટએટેક !
આ પણ વાંચોઃ સુરત/ ફરી એકવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો…
આ પણ વાંચોઃ Auction/ PM મોદીને મળેલી ભેટની થઈ રહી છે હરાજી, જાણો આ રકમનું શું થશે