Not Set/ ગોંડલની શ્રી રામ હોસ્પિટલ માં વિનામૂલ્યે ડે કૅર યુનિટ શરૂ કરાયું.

માનવ સેવા એજ પ્રભુ સેવા ના શુભ આશય થી ગોંડલ માં શરુ કરાયેલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ માં પૂ. હરિચારણદાસજી મહારાજ ની આજ્ઞા થી અનોખો સેવા યજ્ઞ શરુ કરવા માં આવ્યો છે .એક તરફ કોરોના ના હાહાકાર છે અને લોકો જીવ બચાવવા આમતેમ ભટકી રહ્યા છે હોસ્પિટલો માં બેડ મળતા નથી ત્યારે સામાન્ય લોકો માટે […]

Gujarat Rajkot
Untitled 29 ગોંડલની શ્રી રામ હોસ્પિટલ માં વિનામૂલ્યે ડે કૅર યુનિટ શરૂ કરાયું.

માનવ સેવા એજ પ્રભુ સેવા ના શુભ આશય થી ગોંડલ માં શરુ કરાયેલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ માં પૂ. હરિચારણદાસજી મહારાજ ની આજ્ઞા થી અનોખો સેવા યજ્ઞ શરુ કરવા માં આવ્યો છે .એક તરફ કોરોના ના હાહાકાર છે અને લોકો જીવ બચાવવા આમતેમ ભટકી રહ્યા છે હોસ્પિટલો માં બેડ મળતા નથી ત્યારે સામાન્ય લોકો માટે ખુબ જ મોટી મુસીબત છે તેવા માં ગોંડલ ની શ્રી રામ હોસ્પિટલ ખાતે હાલ ની પરિસ્થિતિ ને પોહચી વળવા કોરોના થી   થયેલ દર્દી ઓ ને કે જેને ઓક્સિજન ની હાલ જરૂર ન હોઈ તેવા દર્દી ઓની સારવાર માટે વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવા માં આવ્યું છે. જેમાં ગરીબ જરુરીયાત મંદ દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા તથા ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી રામ હોસ્પિટલ ની બાજુમાં જ નવું આકાર લય રહેલ અદ્યતન હોસ્પિટલ ના બિલ્ડીંગ માં જે દર્દી ઓ ને દવા, બાટલા, ઈન્જેકશન જેવી તમામ સુવિધા વિના મૂલ્યે સારવાર શરૂ કરવા માટે હાલ 25 જેટલા બેડ કાર્યરત છે હાલ ની પરિસ્થિતિ જોતા પૂ. હરિચારણદાસજી મહારાજશ્રી એ આજ્ઞા કરતા સમગ્ર ટ્રસ્ટી ગણ, ડોક્ટર્સ ઓ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર 2 દિવસ માં ડે કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે જેમાં દરરોજ હાલ 25 થી વધુ લોકો સારવાર મેળવી રાહત અનુભવી રહ્યા છે.ક્રમિતUntitled 30 ગોંડલની શ્રી રામ હોસ્પિટલ માં વિનામૂલ્યે ડે કૅર યુનિટ શરૂ કરાયું.

ડે કેર માં કોરોના થી સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી ને દાખલ થવા ની જરૂર નથી માત્ર જરૂરી દવા, ઇન્જેક્શન, બાટલા જેવી સારવાર આપવા માં આવે છે દર્દીને તાત્કાલિક સારવાર મળતા ગંભીર પરિસ્થિતિ નો સામનો કરવા થી બચી શકે છે. હાલ 25 બેડ કાર્યરત છે અને જરૂર પડ્યે બીજા વધુ બેડ પણ ઉમેરાશે જેથી લોકો ને ક્રિટિકલ પરિસ્થિતિ નો સામનો કરવા થી બચી શકે .