- અરવલ્લી કોંગ્રેસમાં ગાબડું
- સ્વ.અનિલ જોષીયારાના પુત્ર કરશે કેસરિયો
- કેવલ જોષીયારાનું ભાજપમાં જોડાવવાનું નક્કી
- પ્રદેશ પ્રમુખ C R પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં
- 24 મેના રોજ જોડાશે ભાજપમાં
- કોંગ્રેસ નેતા સહીત 500 કાર્યકરો જોડાશે ભાજપમાં
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી વહેલી યોજાવવા ની શક્યતાઓ વચ્ચે બીજેપી ગુજરાત નો ગઢ જાળવી રાખવા માટે રણનીતિ બનાવી દીધી છે..જેના ભાગ રૂપે કોંગ્રેસ ના મજબૂત ગણાતા ધારાસભ્યો ,સિનિયર આગેવાનો ,કાર્યકરો ને બીજેપી માં જોડવા માટે નો ટાસ્ક સિનિયર નેતાઓ ને જવાબદારી સોંપી દેવાઈ છે. અરવલ્લી કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, હાલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીના લીધે કોંગ્રેસના અનેક ધારાસભ્ય , કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. કોંગ્રેસની હાલત એક સાંધો તેર તૂટે જેવી થઇ છે. સ્વ.અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાવવાના સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કેસરીયો પહેરેશ. તેઓ 5 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. કેવલ જોષીયારા 24 મેના રોજ ભાજપમાં જોડાશે.