Ahmedabad News: ગણેશોત્સવનો આજથી પ્રારંભ થઇ ગયો છે. આજે સમગ્ર દેશમાંમાં ગણેશ ચતુર્થીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક શહેર અને દરેક ગામમાં ગણપતિ નો જય જય કાર સંભળાઈ રહ્યો છે. ત્યારે આવામાં અમદાવાદમાં આવેલી અભયનગર સોસાયટીમાં નિકિતા બેન પટેલ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર ગણેશ સ્થાપન કરવામાં આવે છે.તેઓ દર વર્ષે અગલ અગલ થીમ દ્વારા દેશવાસીઓને સારો સંદેશ આપે છે. આ વર્ષે પણ તેઓએ એવી થીમ સાથે ગણેશ સ્થાપન કર્યું છે જે એકાગ્રતાનો સંદેશ આપે છે.
જણાવીએ કે, નિકિતા બેન પટેલ દ્વારા આ વર્ષે ફ્લેમિંગો થીમ પર ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે જે ધીરજ અને ધ્યાનનો મેસેજ આપે છે નિકિતા બેનના સર્જનાત્મક અને કલાત્મક વિચારો જે આ વર્ષે એકાગ્રતાની થીમ લઇને આવ્યા છે.
ફ્લેમિંગો પક્ષી જે એક પગ ઉપર રહે છે અને એકાગ્રતા અને ધીરજ સાથે પોતાના લક્ષ્યની રાહ જુએ છે તેમ ભગવાન ગણેશ પણ ભક્તોની એકાગ્રતા અને ધીરજથી ખુશ થઈ ફળ આપે છે.
નિકિતા બેન દ્વારા પોતાના ઘરમાં બેસાડેલ ઇકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ સજાવટ માટે વેસ્ટ જીન્સના કપડા,સુતરાઉ દોરો,પ્લાસ્ટિકની બોટલો,કન્સ્ટ્રક્શનના સળિયા,કાર્ડ બોર્ડ અને વેસ્ટ પૂંઠાનો ઉપયોગ કરીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવીને પર્યાવરણની જાળવણીનો મેસેજ પણ આપવામાં આપે છે.
આ પણ વાંચો:મધ્ય ગજરાતમાં મહીસાગર નદી બની ગાંડીતૂર, પંચમહાલના શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યું
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, સરદાર સરોવરમાંથી પાણી છોડતા અનેક જિલ્લાઓની વધી મુશ્કેલી
આ પણ વાંચો: ગણેશના ધડ સાથે માત્ર હાથીનું માથું જ કેમ જોડાયેલું છે, શું તમે જાણો છો આ રહસ્ય?
આ પણ વાંચો: આ છે ભગવાન ગણેશના મંત્ર, જાપ કરવાથી પણ દૂર થઈ શકે છે તમારી પરેશાનીઓ