PIL/ સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં PIL કરી

અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિક રીડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી.

Top Stories Gujarat
GANDHI સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં PIL કરી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિશ્વ ખ્યાતિ પામેલા એવા અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિક રીડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે મહાત્મા ગાંધીજીના કોઈપણ આશ્રમ ક્યારેય સરકારના નિયંત્રણ હેઠળ નથી આવ્યા. તેથી આઝાદીની ચળવળ સાથે જોડાયેલા પવિત્ર સ્મારકને કોમર્શિયલ ટુરીઝમ માટે પરિવર્તિત ન કરવું જોઈએ.

અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે  કે કોઈપણ ગાંધી આશ્રમમાં અત્યાર સુધી સરકારનું સંચાલન રહ્યું નથી અને ક્યારે પણ આવી જરૂરી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું નથી. આ સિવાય જો ડેવલપમેન્ટ કરવામાં આવે તો તેની કામગીરી અને આયોજન ગાંધીજીની સંસ્થાઓ જેવી કે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન મેમોરીયલ ટ્રસ્ટ, ખાદી ગ્રામ ગ્રામ ઉદ્યોગ પ્રયોગ સમિતિ હરિજન આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ હરિજન સેવક સંઘ જેવી સંસ્થાઓ થકી થવી જોઈએ. તેમણે અરજીમાં રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ફડિંગ માટેની એજન્સી તરીકે કામ કરવું જોઈએ.

અગાઉ 5 માર્ચ 2021ના રોજ ગુજરાત સરકારે એક ઠરાવ પાસ કરીને ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી હતી. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને રીડેવલપમેન્ટને કામગીરીનું અમલીકરણ સોંપવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં પણ મનપાને સોપાયેલી કામગીરી અંગેના ઠરાવને મંજુરી આપવામાં આવી છે. આ પાછળનો કુલ અંદાજીત ખર્ચ 1200 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.