Murder/ ગાંધીનગર અપના અડ્ડા પર મારામારી થતાં એક યુવકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ

ગાંધીનગરમાં ઈન્ફોસિટી પાસે આવેલા આપના અડ્ડા પર મોડી રાત્રે યુવકો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અમુક યુવકો દ્વારા 24 વર્ષીય

Gujarat Others
murder ગાંધીનગર અપના અડ્ડા પર મારામારી થતાં એક યુવકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ
  • ગાંધીનગર મારામારી થતાં એક યુવકનું મોત
  • મારામારીમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • બે ઘાયલ યુવાનોમાંથી એકની હાલત ગંભીર
  • રિલાયન્સ ચોકડી નજીક યુવાનો વચ્ચે થઈ હતી મારામારી
  • આપના અડ્ડા પાસે એક યુવકની હત્યા થઈ છે

ગાંધીનગરમાં ઈન્ફોસિટી પાસે આવેલા આપના અડ્ડા પર મોડી રાત્રે યુવકો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અમુક યુવકો દ્વારા 24 વર્ષીય કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને છાતીના ભાગે, આંગળીઓ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. યુવકનું મોત નિપજતા મારામારીની ઘટના હત્યાનાં બનાવમાં પરિવર્તીત થઇ છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ કરી તેમજ પ્રાપ્ત તમામ સંયોગીક પુરાવાઓ એકત્ર કરી તપાસનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે. મારામારી થવાનાં કારણ સહિત મૂળ હકીકતો શોધી મારામારીમાં સામેલ તમામ લોકોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…