ગાંધીનગર,
પૂર્વ પાસ કન્વિનર દિનેશ બાંભણીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. પત્રમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની બનાવાની માંગનો ઉલ્લેખ કર્યો. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ક્રિમીલેયર મર્યાદા 8 લાખની કરવામાં આવે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષમાં બીજા રાજ્યોની જેમ વય મર્યાદા 40 વર્ષની કરવામાં આવે તેવી માંગ કરી.
સાથે સાથે લોન અરજીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરી. દિનેશ બાંભણીયાએ જણાવ્યુ હતુ બિન અનામત વર્ગના નિગમ અને આયોગના વિલંબથી વિદ્યાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી સમયમાં તેના માંગોને નહી સ્વીકારવામાં આવેતો આંદોલન કરવામાં આવશે.