Navratri/ ખેલૈયાઓ માટે ખુશખબર! નવરાત્રીનો પર્વ મંતવ્ય ન્યુઝ સાથે માણો, જાણીતા કલાકારો નવ દિવસ જમાવશે જમાવટ

આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ આવી રહ્યું છે ત્યારે સૌ ખેલૈયાઓ પણ નવરાત્રીમાં થનગનાટ માટે તૈયાર થઈ ગયા છે. નવરાત્રી માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું પણ પર્વ છે

Top Stories Gujarat
3 56 ખેલૈયાઓ માટે ખુશખબર! નવરાત્રીનો પર્વ મંતવ્ય ન્યુઝ સાથે માણો, જાણીતા કલાકારો નવ દિવસ જમાવશે જમાવટ

આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ આવી રહ્યું છે ત્યારે સૌ ખેલૈયાઓ પણ નવરાત્રીમાં થનગનાટ માટે તૈયાર થઈ ગયા છે. નવરાત્રી માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું પણ પર્વ છે.વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રી. નવ દિવસ ચાલતો આ નૃત્ય મહોત્સવ દેશ વિદેશમાં જાણીતો છે. ગુજરાતીની ઓળખ એટલે ગરબા.અમદાવાદમાં મંતવ્ય પરિવાર તરફથી ખેલૈયાઓ માટે બ્લુ લગૂન પાર્ટી પ્લોટમાં માં અંબાના પર્વમાં આરાધન સાથે ગરબાની રમઝટ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.26 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે ખેલૈયાઓ માટે અમદાવાદમાં  મંતવ્ય પરિવાર દ્વારા  નવરાત્રીનું  ભવ્‍યાતિભવ્‍ય, અદ્‌ભુત આયોજન કરવામાં આવ્યું છે .નવરાત્રી મહોત્‍સવ -2022નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.  મંતવ્ય પરિવાર તરફથી બ્લૂ લગૂનમાં નવરાત્રી પર્વનું અતિ ભવ્ય આયોજન કર્યું છે. ખેલૈયાઓ નવરાત્રીની રમઝટ  મંતવ્ય પરિવાર સાથે માણી શકે છે.. નવ દિવસના પર્વમાં નવે નવ દિવસ જાણીતા કલાકારો સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે, બ્લૂ લગૂન પાર્ટી પ્લોટ મકરબા એસજી હાઇવે પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.