યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે રવિવારે રાજ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ટીબી રોગ વાળા બાળક મોહસિના (કાલ્પનિક નામ) ને દત્તક લીધી છે. તે સાથે, ટીબી રોગવાળા અન્ય 21 બાળકોને સહકારની દૃષ્ટિએ રાજ ભવનના તમામ અધિકારીઓએ દત્તક લીધા હતા.
બાળકોને સરકારી દવા સરળતાથી મળે તે માટેની જવાબદારી દત્તક લેનારા અધિકારીઓની રહેશે અને બાળકે દવા નિયમિતપણે લેવી જોઈએ અને પોષક ખોરાક લેવો જોઈએ. તેની કાળજી પણ અધિકારીઓ દ્વારા લેવામાં આવશે.
રાજ્યપાલે એવી સલાહ પણ આપી હતી કે, જો બાળકોના શિક્ષણમાં કોઈ દખલ આવે તો તેનો પણ નિરાકરણ લાવવામાં આવે. તેમણે કહ્યું કે દત્તક લેવું એ તરફેણ નથી. પણ સજાગ રહેવું એ જાગૃત સમાજની ફરજ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.