નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગલસૂત્ર, મટન, મછલી, મુઘલ અને મુજરાની વાત કરે છે, પરંતુ મેક ઇન ઇન્ડિયાની વાત કરતાં નથી, ક્યાંથી કરે. તેનું કારણ એ છે કે વડાપ્રધાન મોદી અને તેમની સરકાર છેલ્લા દાયકામાં આર્થિક મોરચે તદ્દન વિફળ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન 2014થી 2024 દરમિયાન સરેરાશ આર્થિક વૃદ્ધિદર 7.85 ટકા હતો. જ્યારે મોદી શાસિત એનડીએના 2014થી 2022ના સમયગાળા દરમિયાન સરેરાશ આર્થિક વૃદ્ધિદર 6.0 ટકા રહ્યો હતો.
IANS Exclusive
“I have told the Ministry of External Affairs that I will measure your success based on three parameters. First, how much stuff from India is bought in the country you are stationed in. Secondly, which is the best technology in that country which India still does… pic.twitter.com/KAut9mlwHR
— IANS (@ians_india) May 27, 2024
કોંગ્રેસ શાસિત યુપીએ દરમિયાન 2004થી 2010 દરમિયાન ભારતની નિકાસમાં 186.59 ટકાના દરે અને 2010થી 2014 દરમિયાન 94.39 ટકાના દરે વૃદ્ધિ થઈ હતી. તેની સામે મોદીના એનડીએના શાસનકાળમાં 2014થી 2020 દરમિયાન નિકાસમાં 21.14 ટકાના દરે અને 2020થી 2024 દરમિયાન 56.86 ટકાના દરે વધી હતી.
56 ઇંચની છાતીના ધબકારા, એપ-પ્રતિબંધ અને નકલી રાષ્ટ્રવાદ હોવા છતાં, મોદીજીએ તે સુનિશ્ચિત કર્યું કે ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બને. ગલવાનમાં આપણા બહાદુર સૈનિકોના સર્વોચ્ચ બલિદાન પછી, મોદીજીની ચીનને ક્લીન ચિટ, એક એડ-ઓન ગિફ્ટ લઈને આવ્યા! ભારતમાં ચાઈનીઝ માલસામાનની આયાત મૂલ્ય જૂન 2020 માં $3.32 બિલિયનથી વધીને જુલાઈ 2020 માં $5.58 બિલિયન થઈ ગયું એટલે કે 68% નો જંગી વધારો થયો. ભારતની ચીની ચીજવસ્તુઓની આયાત વચ્ચેનો તફાવત માત્ર ગયા વર્ષે જ ભારતની નિકાસ કરતાં ₹7 લાખ કરોડ વધુ છે.
વેપાર ખાધને વધારવી, ભારતનો દબદબો ઘટાડ્યો
મોદીજીના નેતૃત્વમાં ભારતે 2023-24માં ચીન, રશિયા, સિંગાપોર અને કોરિયા સહિત તેના ટોચના 10 વેપારી ભાગીદારોમાંથી 9 સાથે વેપાર ખાધ નોંધાવી છે. મોદીજીના શાસનમાં ભારતની વેપાર ખાધમાં રેકોર્ડ 194.19% નો વધારો થયો!! કોંગ્રેસ-યુપીએ [2013-14] ના શાસનમાં આ વેપારખાધ ₹8.1 લાખ કરોડ હતી, જે મોદી-NDA [2023-24]ના શાસનમાં વધીને ₹23.83 લાખ કરોડ પર પહોંચી હતી. ખડગેની આ ટવીટનો મોદીએ જવાબ આપ્યો હતો અને તેની સાથે મોદી સમર્થકો એનડીએ ટુ યુપીએ કરતાં કેવી રીતે સારી તે આંકડા સાથે તૂટી પડ્યા હતા અને ખડગેને વળતો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો:ચૂંટણી પંચે છઠ્ઠા તબક્કાનાં આંકડા જાહેર કર્યા
આ પણ વાંચો:બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યું ‘રેમલ’ વાવાઝોડું; તારાજી સર્જાવાની આશંકા, લાખોને વિસ્થાપિત કરાયાં
આ પણ વાંચો:દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબમાં કેમ કહ્યું- અમે એક વખત ઓછી રોટલી ખાઈશું
આ પણ વાંચો:106 વર્ષ પહેલા છપાયેલી રૂ. 10ની નોટની રોચક વાર્તા