૨૦૧૮નું બજેટ આવી ગયું છે ત્યારે બજારોમાં પણ તેજી જોવા મળી છે અને સાથે સાથે આં બજેટમાં સામાન્ય લોકોનું પણ ધ્યાન રાખવાનમાં આવ્યું છે ત્યારે લોકોએ આ બજેટ ને બિરદાવ્યું છે તો ક્યાક હજુ પણ આશા છે કે આ બજેટ માં બદલાવ આવશે ભારતનાં રીટેઈલ સેક્ટરમાં નાના વેપારીઓની પડતી હાલાકી અને મુશકેલીઓ કઈ રીતે દુર થઇ શકે અને પેટ્રોલ અને ડીઝલમાં જીએસટી ઈમપ્લીમેંટ કરવામાં આવે તેવી માંગણી પણ સરકાર સમક્ષ પડકારરૂપ બની રેહશે. ખાસ કરીને આ બજેટમાં એજયુકેશમાં અને કૃષિ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે
વેપારીઓનું કહેવું છે કે જીએસટી આવ્યાં પછી વેપારી વર્ગને તકલીફ વધી ગઈ છે, ઇલેક્ટ્રોનિકસમાં ભાવ ખુબ જ વધારે છે તેને ઓછા કરી દેવા જોઈએ, જીએસટી ઓછુ કરી દેવું જોઈએ જેના કારણે લોકોની ખરીદશકિતમાં વધારો થાય.
બજેટમાં નાણામંત્રીએ અનેક મોટી જાહેરાતો કરી છે. જેમાં ખેડૂતો, શિક્ષણ, વેપારી વર્ગ માટે સારા સમાચાર આપ્યા છે, તો બીજી તરફ ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ રાહત ન આપીને પગારદાર વર્ગને નાખુશ કર્યાં છે
આજ મામલે જયારે સ્ટીલ બજારની વાત કરવામાં આવે તો સ્ટીલ બજારમાં પણ આ બજેટ અસર કરવાનું છે ત્યારે સ્ટીલ બજારમાં પણ જો જીએસટી ટેક્સ ઓછો કરવામાં આવે તો જે વેપાર આજે ૫૦ ટકા પાછળ રહી ગયો છે તે આગળ વધવાની સંભાવના છે.
આજ સાથે બાજેટમાં ખાસ મહત્વ બેન્કિંગ સેક્ટર અને મુદ્રા લોન તથા એજ્યુકેશના પર ભાર મુકવામાં આવ્યો હતો અને સામાન્ય માણસોને આ બજેટ દ્વારા મહ્દઅંશે ફાયદો ઓછો જોવા મળી રહ્યો હતો.