અમદાવાદ,
ચોમાસમાં મચ્છરોની ઉત્પત્તિ વધે છે જેથી મચ્છર જન્ય રોગચાળો વધે છે. તે બાબત સામાન્ય છે પરંતુ જયારે ચોમાસુ વિદાય લઈ ચૂક્યું છે છતાં અમદાવાદ શહેરમાં રોગચાળામા યથાવત જોવા મળી રહ્યો છે 20 દિવસમા મલેરિયાના 270 કેસ નોધાયા છે.
ઝેરી મલેરીયા 63..ડેન્ગ્યુના 200 કેસ , ચિકન ગુણ્યના ૩ કેસ નોંધાયા છે પાણી જન્ય રોગચાળામા ઝાડા-ઉલટીના 220 કેસ રજીસ્ટર થયેલ છે..ત્યારે હાલ તો એક તરફ ડબલ ઋતુ થઈ ચુકી છે ત્યારે હાલ તો AMC ફોગીંગની કામગીરી પર વધારે ઝોર આપી રહ્યું છે દરરોજ અંદાજિત 15 થી 17 હજાર ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે.
20 દિવસમાં નોંધાયેલા કેસ
ઝેરી મલેરિયાના 63 કેસ નોંધાયા
મલેરિયાના 270 કેસ નોંધાયા
ડેન્ગયુંના 200 કેસ નોંધાયા
ચિકન ગુનિયાના 3 કેસ નોંધાયા
ઝાડા ઉલ્ટીના 220 કેસ નોંધાયા
કમળાના 198 કેસ નોંધાયા
ટાઈફોઈડ 233 કેસ નોંધાયા
જે આકડા દર્શાવામા આવ્યા છે તે કોર્પોરેશન ચોપડે નોધાયેલા છે એટલેકે હકીકતમા જોવા જઇએ તો આ આંકડા વધુ હોઇ શકે છે.તો તત્ર આ અંગે કામગીરી કરતુ હોવાનો દાવો કરે છે પણ તેમ છતાં પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે.