અમદાવાદ,
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર પાસે એક નજીવી બાબતે તકરાર થતાં ઘટનાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે બીપી પ્રેરણાથી દેરાસર પાસે આવેલા શિવજી મંદિર નજીક કૃષ્ણ હથિયાર વડે કેટલાક શખ્સોએ યુવક પર હુમલો કર્યો જેમાં યુવક ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા તુરંત જ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. તો બીજી તરફ આ ઘટનાની જાણ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં થતા પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હુમલા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ધારિયા જેવા તિક્ષ્ણ હથિયારો ઘટના સ્થળ પરથી મળી આવ્યા હતા.
જેથી પોલીસે આ ઘટના અંગે ગુનો દાખલ કરી ગુનેગારોને શોધવા માટે કવાયત હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જૂની અદાવતનું વેર વાળવા માટે ગુનેગારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.