અમદાવાદ,
અમદાવાદમાં આવતીકાલે એસટીના પૈડાં થંભી જશે. એસ.ટી.કર્મચારીઓ ફરી આંદોલન કરવા જઈ રહ્યા છે. આવતીકાલે વિવિધ પડતર માંગણીઓને લઇને કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા બધાજ એસટી વિભાગના કર્મચારીઓએ માસ સીએલ લેવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી વારંવારની રજૂઆત છતાંય કર્મચારીઓના પ્રશ્નોનોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ રાજ્યવ્યાપી આ નિર્ણય કર્યો છે. જેમાં અંદાજે રાજ્ય ભરના 42000 કર્મચારીઓ જોડાશે.
કર્મચારીઓને મુખ્ય માંગો. સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો. ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી.
વર્ષ ૨૦૧૧ પહેલાના આશરે ૧૦૦૦ જેટલા આશ્રિતોનો નોકરી આપવાની મુખ્ય માંગણી કરવામાં આવી હતી જેને પુરી કરવામાં આવે. સાથેજ વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓની અકારણ આંતર વિભાગીય બદલીઓ કરી દેવાઇ છે.
તે રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવાની માંગણી છે અને ખાનગી વાહનો ભાડે લેવાની નીતિ રદ કરવી, બદલી અંગેના પરિપત્રો રદ કરવાની માંગણી પડતર છે. આ તમામ માંગોને લઈને એસ.ટી.વિભાગના કર્મચારીઓ આંદોલન કરવા જઈ રહ્યા છે.