Not Set/ નવરાત્રિ વેકેશનનાં પરિપત્રનો શાળાઓએ કર્યો અનાદર, ખુલ્લી રાખવામાં આવેલી તમામ શાળા સામે કાર્યવાહી થશે: શિક્ષણાધિકારી

અમરેલી, સરકારે આ વર્ષે યુનિવર્સિટીઓ અને સ્કૂલો-કોલેજોમાં નવરાત્રી વેકેશન જાહેર તો કરી દીધુ છે પરંતુ સરકારની ધારણા ખોટી પડી રહી છે અને ખાસ કરીને સ્કૂલોમાં નવરાત્રી વેકેશન જાહેર કરવાનો નિર્ણય હવે સરકારને ભારે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમરેલીમાં કેટલીક શાળાઓએ નવરાત્રિના વેકેશનના સરકારના પરિપત્રનો ઉલાળ્યો કર્યો હતો. સરકારના પરિપત્રનો શાળાઓ દ્વારા અનાદર કરવામાં […]

Top Stories Gujarat Others
navratri નવરાત્રિ વેકેશનનાં પરિપત્રનો શાળાઓએ કર્યો અનાદર, ખુલ્લી રાખવામાં આવેલી તમામ શાળા સામે કાર્યવાહી થશે: શિક્ષણાધિકારી

અમરેલી,

સરકારે આ વર્ષે યુનિવર્સિટીઓ અને સ્કૂલો-કોલેજોમાં નવરાત્રી વેકેશન જાહેર તો કરી દીધુ છે પરંતુ સરકારની ધારણા ખોટી પડી રહી છે અને ખાસ કરીને સ્કૂલોમાં નવરાત્રી વેકેશન જાહેર કરવાનો નિર્ણય હવે સરકારને ભારે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે.

અમરેલીમાં કેટલીક શાળાઓએ નવરાત્રિના વેકેશનના સરકારના પરિપત્રનો ઉલાળ્યો કર્યો હતો. સરકારના પરિપત્રનો શાળાઓ દ્વારા અનાદર કરવામાં આવ્યો હતો. નવરાત્રિ દરમિયાન પણ શાળાઓએ વેકેશન રાખ્યુ ન હતું.

નવરાત્રિમાં વેકેશન ન પાળનાર સાત ખ્યાતનામ શાળાઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.ખુલ્લી રાખવામાં આવેલી તમામ શાળા સામે કાર્યવાહી થશે તેમ શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

ગાંધીનગર શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હોવાનું પણ શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ આ શાળાઓ સામે કાર્યવાહી થશે.

શિક્ષકો-આચાર્યો અને વાલીઓનો ઉગ્ર વિરોધ

સરકાર દ્વારા મીડિયા સમક્ષ સ્કૂલોમાં નવરાત્રી વેકેશનની જાહેરાત કરતા સરકારે વિધિવત વેકેશનનો પરિપત્ર જાહેર કર્યો હતો .જેમાં સાત દિવસનું વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ સરકારે પરિપત્રમાં સુધારો કરીને સ્કૂલોમાં ૧૦થી૧૮ સુધીનું વેકેશન આપી દીધુ છે.

સ્કૂલોમાં નવરાત્રી વેકેશનને લઈને શિક્ષકો-આચાર્યો અને વાલીઓનો ઉગ્ર વિરોધ છે. શિક્ષકો અને સ્કૂલો એ ફરિયાદ કરી રહ્યા છે કે જ્યાં પહેલેથી સરકાર દ્વારા ગુણોત્સવ, પ્રવેશોત્સવ અને મિશન વિદ્યા જેવા સરકારી કાર્યક્રમોને લઈને અભ્યાસક્રમ પુરો થતો નથી અને શિક્ષણના દિવસો ખુટી રહ્યા છે ત્યારે સરકારે નવરાત્રી વેકેશન રાખીને વિદ્યાર્થીઓનું ભણવાનું બગાડયુ છે.

લોકોનું કહેવુ છે કે સરકારે એક બાજુ ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ કરી દેવાનુ જાહેરનામુ કર્યુ છે તો ૧૨ વાગે ગરબા બંધ જ થઈ જતા હોઈ બીજા દિવસે બાળકો સ્કૂલે જઈ શકે તેમ છે, જેથી નવરાત્રી વેકેશનની કોઈ જ જરૂર નથી. હાલ રાજ્યભરમાં નવરાત્રી વેકેશનને લઈને સરકાર સામે વિરોધ થઈ રહ્યો છે. અનેક સ્કૂલો અને શિક્ષકો દ્વારા સરકારને અને શિક્ષણમંત્રીને આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરવામા આવી છે.

આ વિેશે શિક્ષકો જણાવે છે કે, રાજય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં હાલમાં સેમેસ્ટર સિસ્ટમ અમલમાં હોવાથી અભ્યાસ ક્રમ અઘરૂ હોય છે. આથી આવી રજાઓ બાદ ઇન્ટરનલ પરીક્ષા લેવાની હોય છે આ સત્ર માત્ર પાંચ મહિનાનું જ હોય છે જેમાં તૈયારીનો પૂર્ણ સમય વિદ્યાર્થીઓને મળવો જોઇએ.

જે રજાઓને કારણે મળી શકશે નહી નવરાત્રીના સમયમાં શની-રવિની રજાઓ આવતી જ હોય છે આથી જે વિદ્યાથીઓ નવરાત્રીમાં જવા ઇચ્છતા હોય તે આમ પણ રજાઓ દરમિયાન એડજેસ્ટમેન્ટ કરી લેતા હોય છે. ઘણી વખત શાળા કોલેજોની ઇન્ટરનલ પરિક્ષાઓ નવરાત્રીના સમયગાળા દરમિયાન ચાલતી હોય છે આ વેકેશનથી તેમાં પણ વિક્ષેપ ઉભો થવાની સંભાવના છે..તેવુ શિક્ષણકો જણાવ્યા હતા..

બીજી બાજુ એક જ રાજ્યમાં ગુજરાત બોર્ડની અને સીબીએસઈ સ્કૂલમા ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કોમન વેકેશન ન રહેતા પણ અનેક મુંઝવણો થઈ છે.સીબીએસઈ સ્કૂલો અને વાલીઓની રજૂઆત બાદ સરકારે તાજેતરમાં પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે કે સીબીએસઈ સ્કૂલોને વેકેશન નહી લાગુ નહી પડે.