ભચાઉ,
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં થતાં મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અકસ્માતમાં વધુ બે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે.
આપને જણાવી દઈએ કે ભચાઉના ગુણાતીપર રોડ પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણથી ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તને ભચાઉની વાગડ વેલફેર હોસ્પીટલમા ખસેડાયા હતા.
પૂર ઝડપે આવી રહેલી કારે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર બે બાળકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પોલીસેને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઘટનાની તપાસ હાથ ઘરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.