ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે કોંગ્રેસ આ બંને બેઠકમાટે પોતાના ઉમેદવાર ઉભા રાખશે કે કેમ એક સવાલ છે.
ઉલ્લેખનીય છે કે બન્ને બેઠકોની ચૂંટણીનું મતદાન અલગ-અલગ હોવાથી કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા બળની દ્રષ્ટિ એ આ આ પેટા ચૂંટણી જીતી શકે તેમ નથી એટલે કોંગ્રેસ જે ઉમેદવાર ઉતારે તેની હાર નિશ્ચિત છે. ભાજપ જે ઉમેદવારોના નામ નક્કી કરે તેની જીત પાક્કી છે.
નોધનીય છે કે ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાની કુલ ૧૧ બેથાક્ચે. જેમાં કોરોનાને કારણે રાજકોટના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનથી બંને બેઠક ખાલી છે. અને જેને માટે અલગ-અલગ મતદાન દ્વારા બેઠક ભરવાનું ચૂંટણી પંચે નક્કી કર્યું છે.
પહેલી માર્ચે રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીનું મતદાન છે. 18મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. જો કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે તો 18મી તારીખે ભાજપના બન્ને ઉમેદવારો બિનહરીફ થશે.