મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત શહેરને રુ. 825 કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. અઠવાલાઇન્સ ખાતે રુ.143.86 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કેબલ બ્રીજને શહેરીજનો માટે ખુલ્લો મુકયો હતો. સાથે જ 300 સીટીબસ સેવા અને ફાયર ફાઇટરના અદ્યતન સાધનોને ફલેગ આેફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ રુ.148.07 કરોડના વિકાસકામોનું લોકાર્પણ, રુ. 354.17 કરોડના કામોનું ખાતમુહર્ત અને રુ. 179.31 કરોડના રિંગરોડના બીજા ફેઝનું ડીજીટલ તખ્તી દ્વારા ખાતમુહર્ત કર્યું હતુ. આ અવસરે રાજય આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી, રાજય રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોષ સહિત ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઆે જોડાયા હતા.
મુખ્યમંત્રીએ 12 આેકટોબર ત્રીજે નોરતે દહેજ-ઘોઘા બંદર રો-રો ફેરી સેવા શરુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સેવાના કારણે નાના વાહનોથી માંડીને મોટા વાહનોનું પણ વહન થઇ શકશે. ભારતમાં સર્વપ્રથમ રો રો ફેરી સેવા હશે.