બનાસકાંઠાના દિયોદર ગામની મામલતદાર કચેરી પાસે આવેલ તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ મળી આવતા તળાવ પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હત્યા ક આત્મહત્યા તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના સાયલા ખેરાળીડેમમાંથી પણ એક યુવકનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.