ગાંધીનગર,
ગુજરાતની આગવી ઓળખ ગણાતાં ગીરના એશિયાટિક લાયન હાલ ભારે જોખમનો સામનો કરી રહ્યા છે. હાલ ગીરમાં એક બાદ એક સાવજોના મોત થઈ રહ્યા છે. ત્યારે વનમંત્રી ગણપત વસાવાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પીએમ રિપોર્ટમાં ઇનફાઈટના લક્ષણો છે. આ વાયરસ અને ઇનફાઈટના કારણે સિંહોના મોત થયા છે. ત્યારે 100 ટકા રસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવશે.