રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક અકસ્માત મહેસાણા જિલ્લાના ખેરાલુનામલેકપુરની સામે આવી છે. જેમાં એક ખેડૂતનું મોત નીપજ્યું છે.
આ મામલે મળતી માહિતી અનુસાર મહેસાણા જીલ્લાના ખેરાલુના મલેકપુર નજીક મોડી રાત્રે પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે ખેડૂતને અડફેટે લીધો હતો. જે બાદ ખેડૂતને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઈએ કે ગઈ કાલે ખેરાલુનાં મલેકપુરથી સિદ્ધપુર જતા અદિતપુર પાસે જીપ વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જીપમાં શ્રમિક મુસાફરો સવાર હતા. જીપ ચાલકની બેદરકારીના કારણે જીપ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીપમાં નાના-મોટા થઈને 20 શ્રમિકો સવાર હતા.તો મૃતકોમાં ચાર અને સાત વર્ષની બે બાળકીનો પણ સમાવેશ થાય છે.
આપણ વાંચો
https://api.mantavyanews.in/gujarat-mehsana-jeep-accident-with-tree-in-early-morning-near-kheralu-mehsana/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.