ગુજરાતના મગફળી પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. સરકાર દ્વારા જે મગફળી ની ખરીદી બંધ કરવામાં આવી હતી તે ફરી ચાલુ કરવામાં આવીછે. ખરાબ હવામાનના કારણે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે વરસાદનું વિઘ્ન નહિ દેખાતા સરકાર દ્વારા મગફળીની ખરીદી ફરીથી શરૂ કરવામાં આવી છે.
90 દિવસ સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. પ્રથમ તબ્બકે ખેડૂત દીઠ 2500 કિગ્રા મગફળીની ખરીદી કરવામાં આવશે. ગુજરાતના 145 સેન્ટર ખાતે મગફળીની ખરીદી થશે. નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી આશરે 8 મેટ્રિક ટન મગફળી ની ખરીદી કરવામાં આવશે. અત્યાર સુધી ખેડૂતો દ્વારા 4,44,000 ટન મગફળીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
જીલ્લા કલેકટરની સીધી દેખરેખ હેઠળ મગફળીની ખરીદી કરવામાં આવશે. સૌથી વધુ મગફળીનું વેચાણ સાબરકાંઠા ના ઇડરના ખેડૂતો દ્વારા કરવામાં અવાયું છે. ઈડરના 14 ખેડૂતો પાસેથી સાકારે ૨.૮૦ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.