ગાંધીનગર,
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં તેમણે જણાવ્યું હતુ કે, ખેડૂતોને રાહત આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે.
વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં પાણીની અછત થઈ છે. નર્મદામાં જળસ્તર ઘટી પણ રહ્યું છ. તેમજ હાલ કોઈ પાણીની આવક સરદાર ડેમમાં નથી.
સરદારડેમમાં 5 દિવસ ચાલે તેટલો જથ્થો જ રહેલો છે જેના કારણે લરકાર પણ ચિંતિત છે. સાથે જ પાણીનો કર કસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કર્યા હતા.
ચોમાસું ચાલુ હોવાથી હજી સરકાર આશાવાદી છે. પીવાના પાણીને લઈને કોઈ સમસ્યા નહિ સર્જાય તેવી ખાતરી આપી હતી. તેમજ પશુપાલકોને તાત્કાલિક ઘાસ ફાળવાશે અને રાજ્યના ખેડૂતોને 8 ને બદલે 10 કલાક વીજળી અપાશે તેવુ જણાવ્યું હતુ.