અમદાવાદ,
ભારત સરકારમાં રેલ મંત્રી પિયુષ ગોયલની પહેલ પર રેલ મંત્રાલય દ્વારા ટ્રેન નં. 12473 / 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસને ગાંધીધામ સુધી વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટ્રેન પહેલા અમદાવાદ અને કટરા સ્ટેશન સુધી દોડતી હતી. જો કે હવે ટ્રેનનું વિસ્તરણ થયા બાળા અમદાવાદ – ગાંધીધામ સ્ટેશનો વચ્ચે આ ટ્રેન વિરમગામ, ધ્રાંગધ્રા તથા સામાખિયાલી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનોના વિસ્તારથી ક્ષેત્રીય લોકોને લાભ થશે તથા તેમનો આવવું-જવું સુગમ અને આરામદાયક થશે. ત્યાંજ ગાંધીધામથી દિલ્હી અને વૈષ્ણોદેવી માટે પણ સીધી રેલ સેવા ઉપલબ્ધ થશે.
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ બોટાદ સુધી વિસ્તારિત
બીજી બાજુ ટ્રેન નં. 79457/ 79458/ 79459/ 79460 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ પેસેંજરને પણ બોટાદ સુધી વિસ્તારિત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી બોટાદની વચ્ચે આ ટ્રેન કુંડલી, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર ગેટ સ્ટેશનો પર રોકાશે.