રાજકોટમાં મનપાની ટાંકી સાફ કરવાં ઉતરેલા શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો. તમામ શ્રમિકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
રાજકોટમાં મનપાની બેદરકારી સામે આવી છે. 4 શ્રમિકો પાણીની ટાંકી સાફ કરવાં માટે ટાંકીમાં ઉતર્યા હતાં. અને તેમણે વીજ કરંટ લાગ્યો હતો.
જેમાં એક શ્રમીકની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જયારે ૩ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેના લીધે શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.