આજે જૂનાગઢમાં મુખ્ય સ્વામિનારાયણ મંદિરના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ રહી છે.27 હજાર જેટલા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરવાના છે.દેવપક્ષ અને આચાર્યપક્ષની પેનલ વચ્ચે સીધો જંગ થવાનો છે.ચાર હરિભક્તો, બે સંતો અને એક પાર્ષદ માટે આ ચૂંટણી થઇ રહી છે. ભારે ઉત્તેજનાના માહોલ વચ્ચે આ મતદાન યોજાશે.
મહત્વનું છે કે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મહત્વની વાત તો એ છે કે હાલ સંચાલનમાં આચાર્ય પક્ષ સંચાલન કરી રહ્યું છે.