Not Set/ જૂનાગઢ : શિવરાત્રીના મેળામાં યાત્રિકોને અપાશે વિશેષ સુવિધા, મુખ્યમંત્રીનો નિર્ણય

જૂનાગઢમાં યોજાનાર વિખ્યાત શિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શનિવારે રિવ્યૂ બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતિવર્ષ જૂનાગઢમાં પારંપરીક રીતે યોજાતા આ મેળાને સરકાર દ્વારા શિવરાત્રી કુંભ મેળા તરીકેનું નામ આપવામાં આવ્યું છે. આ વખતે વિશેષરૂપથી આ મેળાની ઉજવણી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જે અંતર્ગત આ વખતે ગિરનાર અને જૂનાગઢને શણગારવામાં આવશે. […]

Top Stories Gujarat Others
maxresdefault 30 જૂનાગઢ : શિવરાત્રીના મેળામાં યાત્રિકોને અપાશે વિશેષ સુવિધા, મુખ્યમંત્રીનો નિર્ણય

જૂનાગઢમાં યોજાનાર વિખ્યાત શિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શનિવારે રિવ્યૂ બેઠક મળી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતિવર્ષ જૂનાગઢમાં પારંપરીક રીતે યોજાતા આ મેળાને સરકાર દ્વારા શિવરાત્રી કુંભ મેળા તરીકેનું નામ આપવામાં આવ્યું છે. આ વખતે વિશેષરૂપથી આ મેળાની ઉજવણી કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

જે અંતર્ગત આ વખતે ગિરનાર અને જૂનાગઢને શણગારવામાં આવશે. સાથે જ યાત્રાળુઓ માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ માટે રોડ-રસ્તા અને પીવાના પાણીની વ્યવસ્થા, ટોયલેટ, પાર્કિંગ, ફૂડકોર્ટ, રહેવાની વ્યવસ્થા અને સુરક્ષાને લઈને વિશેષ આયોજન કરાશે.