રાજકોટમાં ખેડૂતોના પ્રશ્નને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા તારીખ 08/10/18ના રોજ એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રાજકોટના બહુમાળી ભવનથી જિલ્લા કલેકટર કચેરી સુધીની રહેશે. જેનો બપોરે ત્રણ કલાકે પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે, આ મહારેલીમા પાંચ હજારથી વધુ ખેડૂતો જોડાશે. ખેડૂતો અને ગામડાઓની સમસ્યાને લઈને કિસાન સંઘ દ્વારા મહારેલી યોજવામાં આવશે. તેમજ સરકારને જાગૃત કરવા માટે આ રેલીનું આયોજન કર્યું છે.
સરકારના ફરજો જે ખેડૂતો માટે છે અને સરકાર ખેડૂતોના પ્રશ્નો જેવા કે પાક વીમો, જમીન માપણી, રોઝડા અને ભૂંડના ત્રાસ, વગેરે અન્ય બાબતો જે ખેડૂતો માટે સમસ્યા રૂપ છે. તેને લઈને રેલી બાદ કલેકટરને આવેદન પાઠવવમાં આવશે.