ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન થવાને ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે એક પછી એક સ્ટાર પ્રચારકો પ્રચાર માટે ગુજરાતમાં આવી રહ્યા છે. તેમાંથી જ એક કોંગ્રેસનાં નેતા અને પંજાબ સરકારનાં મંત્રી એવા નવજોત સિંહ સિદ્ધુ ડાંગનાં આહવા ખાતે પહોંચ્યા હતા.અહીં તેમણે વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી માટે પ્રચાર કર્યો હતો.. આ દરમિયાન તેમણે ભાજપ તેમજ પીએમ પર આકરા પ્રહાર કર્યા હતા. નીરવ મોદી, લલિત મોદી, રાફેલ જેવા મુદ્દાઓ પર પણ તેમણે આક્રમક અંદાજમાં ભાજપ સરકારને ઘેરી હતી.
ડાંગના આહવા ખાતે વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી માટે પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સીધ્ધુ એ શરૂઆતથી જ ચોકીદાર, નીરવ મોદી લલિત મોદી અને રાફેલ મુદ્દે સરકાર ઉપર પ્રહાર ચાલુ કર્યા હતા અને 2 કરોડ નોકરી, ગંગા સફાઈ તેમજ 15 લાખ ખાતામાં નાખવાના નરેન્દ્ર મોદીએ આપેલા જુઠ્ઠા વચનોની યાદ કરાવી ફેકુ પ્રધાન મંત્રી કહી મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેની સાથે જ કોંગ્રેસ આવા જુઠ્ઠા વચનો નહિ આપે પણ કોંગ્રેસની સરકાર બનતા જ તેના વાંચનો પુરા કરાશે તેવી ખાતરી આપી હતી. ભાષણ બાદ પત્રકારો સાથે વાત કરતા સીધુએ જણાવ્યું હતું કે હું કોઈ ધર્મની રાજનીતિ નથી કરતો પણ મુસ્લિમ સમાજને એકથવાની અપીલ કરી છે. અને એક તરફ હિન્દુસ્તાન ને મત આપજો એવું કહ્યું હતું.