ગુજરાત રાજ્રાયમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. જો કે હાલમાં રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા જણાવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લાદવામાં આવ્યો છે. જે અંગે આજ રોજ જામનગર ખાતે રાજ્યના સીએમ વિજય રૂપાણીનએ અગત્યનું નિવેદન આપ્યું છે.
નિવેદનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યુ યથાવત રહેશે. હજુ પણ આગામી 15 દિવસ સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. નોધનીય છે કે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હાલમાં રાત્રરીના 10 થી સવારના 6 વાગ્હેયા સુધીનો રાત્રી કરફ્યુ છે.
-
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…