રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક નિવેદન આપ્યું છે. રાજકોટની મુલાકતે આવેલા સીએમ રુપાણીએ જણાવ્યું કે, “રાહુલ ગાંધી ગુજરાત ભલે આવે છે, પરંતુ તે જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારી જ છે અને એનો ફાયદો ભાજપને જ થાય છે”.
મહત્વનું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૨૫ સપ્ટેમ્બરથી ગુજરાતના ૩ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આ ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લેશે.