કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બે દિવસના ગુજરાત પ્રવાસે આવીને ગયા.આમ તો ચૂંટણી પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ કચ્છનો સામાજીક નજારો લેવાનું પણ ચૂક્યા નહોતા.અંજારમાં રાહુલ ગાંધીએ અહીં રહેતી નાની બાળકીઓ સાથે તસ્વીરો પડાવી હતી.કચ્છના ટ્રેડીશનલ ડ્રેસમાં તૈયાર થઇને આવેલી આ બાળકીઓએ રાહુલ સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. રાહુલ ગાંધીએ અંજારમાં પોતાની રાજકીય યાત્રા દરમિયાન ઊંટની સવારી કરી હતી.
અંજારમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
જ્યાં તેમણે ભાજપ સરકાર ખેડૂતોના વ્યાજ માફી માટે કોઈ પોલિસી લાવવા તૈયાર નથી અને જો કોંગ્રેસની સરકાર રચાશે તો ખેડૂતોના વ્યાજ માફી માટે 10 દિવસમાં પોલિસી લાવશે તેવુ આશ્વાસન આપ્યું હતું.
ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને સાચવે છે પંરતુ ખેડૂતોના વ્યાજ ફી માટે શા માટે ઉત્સાહ દાખવતી નથી તેવો સવાલ રાહુલ ગાંધીએ કર્યો હતો.
કચ્છના અંજારમાં તેઓ સંબોધન દરમિયાન તેમણે ગુજરાતીઓના વખાણ કર્યા હતા. અને તેમના રસોડામાં ગુજરાતી ખાખરા, ગુજરાતી અથાણા અને ગુજરાતી મગફળી હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, રસોડામાં ગુજરાતી વાનગીઓ છે અને તેથી વજન વધી રહ્યું છે.
Around The Web