રાજકોટ,
પદ્માવત વિવાદના પગલે ગુજરાતભરમાં ઠેર ઠેર બાઈક સળગાવામાં આવ્યા હતા. રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલી હાજીડેમ ચોકડી પર રવિવારે સવારે કાર અને બાઈક સહીત અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. રાજકોટ પોલીસે તત્કાળથી આ કૃત્ય કરનાર ૬ આરોપીને પકડી પાડયા હતા અને હાજીડેમ ચોકડી પાસે સ્થાનિકોની માફી માંગી શકે તે માટે માટે સરઘસ કાઢ્યું હતું.
નિર્દોષ લોકોના વાહન સળગી જતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને તાત્કાલિક પોલિસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યા હતા. આરોપી ફરીવાર આવું કૃત્ય ન ભરે અને સ્થાનિકોના વાહન પર અંગ ચાંપવા બદલ સરઘસ કાઢીને જાહેરમાં માફી મંગાઈ હતી.