પંચમહાલ જિલ્લામાં 144ની કલમ લાગુ કરાઈ
આંદોલનો તેમજ દેખાવોના કાર્યક્રમોને લઈને નિર્ણય
તા.28 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરીસુધી 144ની કલમ લાગુ
4 કરતા વધુ વ્યક્તિ એકત્રિત ન થવા અંગે જાહેરનામું
પંચમહાલ જિલ્લામાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.આંદોલનો તેમજ દેખાવોના કાર્યક્રમોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.તા.28 જાન્યુઆરી થી 11 ફેબ્રુઆરી સુધી 144ની કલમ લાગુ કરાઇ છે. 4 કરતા વધુ વ્યક્તિ એકત્રિત ન થવા અંગે જિલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામું પર બહાર પાડવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલ આંદોલનોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સુલેહ-શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુંથી આ કલમ લાગુ કરવામાં આવી છે. સાથે સાથે સભા-સરઘસો કાઢવા પર પ્રતિબંધ મુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.