Patan : આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પર પાટણ નજીક કાર ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતક 3 યુવાનો રાધનપુરના વતની હોવાનુ સામે આવ્યું છે. આઈસરના પાછળના ભાગે વેગેનાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
રાધનપુરના સોનલનગર ખાતે રહેતા હસમુખભાઈ છગનભાઈ ઠક્કર, પીન્ટુભાઇ સોમાભાઈ રાવળ, દશરથભાઈ જેહાભાઇ રાવળ ત્રણ યુવાનો પૂનમ હોવાથી ચોટીલા જવા દર્શનાર્થે રવાના થયા હતા. આજે વહેલી સવારે વેગનઆર કાર નંબર Gj-6-cb-2593માં ચોટીલા ખાતે પૂનમ ભરવા જવા નીકળ્યા હતા. તેમની કાર સમીથી પાંચ કિલોમીટર દૂર શંખેશ્વર તરફ જવાના માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે હાઈવે પર Gj-36-V-2101 નંબરની આઈશર હાઈવે પર બેદરકારીપૂર્વક પાર્ક થયેલી હતી. આ ટ્રકની પાછળ પૂર ઝડપે આવી રહેલ વેગનઆર કાર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
પાટણ સમી નર્મદા કેનાલ નજીક બનાવ બન્યો હતો. અકસ્માતને પગલે સમી પોલીસે કામગીરી હાથ ધરી હતી. તો સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
તો બીજી તરફ આજે અમદાવાદના જુહાપુરા સરખેજ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રકચાલકે એક્ટિવાચાલકને એડફેટે લેતાં એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માતની વાત કરીએ તો એક્ટિવાચાલકની પત્ની પર ટ્રકનું ટાયર ફરી વળ્યું જેના પગલે તેનું ભર્યુ મોત થયું છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. એમ ટ્રાફિક પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત
આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ
આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત
આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ