માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના/ કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

વલ્લભીપુર તાલુકાના નવાગામ (લોલીયાણા) ખાતે બે માસ પહેલા આઠ વર્ષના માસૂમ બાળકને હડકાયું કૂતરું કરડી ગયા બાદ હડકવાની અસર થતાં બાળકે 24 કલાકની અંદર જીવ ગુમાવી દીધો હતો.

Gujarat Others
Untitled 211 કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

ગુજરાત સહીત દેશમાં કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ એક યા બીજા શહેરમાંથી કૂતરાના હુમલાના સમાચાર સામે આવતા રહે છે. તાજેતરનો મામલો ભાવનગરનો છે. અહી રખડતા કૂતરાઓ દ્વારા એક આઠ વર્ષના માસૂમ બાળક ઉપર હુમલો કરાતા બાળકનું મોત થયું હતું.

વલભીપુરના નવાગામ ખાતે રહેતા 8 વર્ષના માસૂમ બાળક મુકેશ નીરદાસભાઇ મોરીને બે માસ પૂર્વે હડકાયું કૂતરાએ બચકું ભર્યું હતું. જેમાં બાળકના માતા-પિતાએ એન્ટિરેબીક વેક્સીન સમયસર ન અપાવતા બાળકને હડકવાની અસર થતાં સારવારમાં ખશેડાયો હતો જ્યાં હડકવાની અસરથી માત્ર 24 કલાકમાં જ નાના એવા બાળકનું મોત થતા.પરિવારની બેદરકારીના લીધે બાળકે જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો:સ્માર્ટ સિટી એવોર્ડની જાહેરાત, અમદાવાદ-વડોદરાને આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

આ પણ વાંચો:રક્ષાબંધને બહેન કહેશે…બસ હવે બહુ થયું…’નો ડ્રગ્સ’

આ પણ વાંચો:9 મહિનાનું બાળક LED બલ્બ ગળી ગયું….!!

આ પણ વાંચો:ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન