સુરત,
સુરતના વરાછામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ હત્યાના મામલામાં 3 લોકોની ધરપકડ કરીને પૂછપરછ હાથધરી હતી.
પૂછપરછમાં આ હત્યા કરવાનું કારણ દોસ્તી તોડાવવા માટેનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરના વરાછામાં થોડાક દિવસ પહેલા મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી હતી.
ચપ્ચાના 5 જેટલા ઘા મારીને આ હત્યા કરવામાં આવી હતી. જો કે હત્યાને લઇને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે આ હત્યામાં સંડોવાયેલ 3 લોકોની ધરપકડ કરી છે.