અંબાજી,
શક્તિપીઠ અંબાજીમાં મંદિરની અંદર એક અનોખો ચમત્કાર જોવા મળ્યો છે. અંબાજી મંદિરમાં દિવાની જ્યોતની અંદર વાઘની આકૃતિ દેખાઇ છે. જ્યારે આરતી માટે દીપ જ્યોત પ્રગટાવવામાં આવી ત્યારે માતાજીની સવારી પર વાઘની આકૃતિના દર્શન થયા. જો કે આ ચમત્કારથી ભક્તોએ દર્શન કર્યા હતા અને ઘન્યતા અનુભવી હતી.હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.