વડોદરા,
વડોદરાના કરજણમાં જુના બજારમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કરજણના વેરાઈ માતા મંદિરની પાછળ જૂના બજારમાં રહેતા અનિલ ભુરિયા નામના યુવકે ગઈકાલ સાંજે સાત વાગ્યાની આજુ બાજુ પોતાના ઝુંપડામાં કોઈ અગમ્ય કારણો સર ગળે ફાંસો ખાઈ લીધો હતો.
ગળે ફાંસો ખાતા યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે સંદર્ભે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
https://www.youtube.com/watch?v=thggZDqu9po