ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ODI વર્લ્ડ કપ 2023માં સતત ત્રીજી જીત નોંધાવી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારતની આ સતત 8મી જીત છે. અત્યાર સુધી પાકિસ્તાનની ટીમને હાર સિવાય કાઈ મળ્યું નથી. આ હાર બાદ જ્યાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખુશ દેખાઈ રહ્યો હતો, તો પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ચિંતિત દેખાયો હતો. મેચ બાદ બંને કેપ્ટને શું કહ્યું તે જાણીએ.
જીત બાદ રોહિત ઘણો ખુશ છે
રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે બોલરો આજે પણ અમારા માટે સારું રમ્યા. પાકિસ્તાનને માત્ર 190ની આસપાસના સ્કોર સુધી મર્યાદિત રાખવું એ પોતાનામાં મોટી વાત છે. રોહિતે મેચ બાદ કહ્યું કે મેં પિચ જોઈ હતી, તે કોઈ 190 પિચ નહોતી. રોહિતે કહ્યું કે જેને બોલ આપવામાં આવી રહ્યો હતો તે ભારત માટે વિકેટ લઈ રહ્યો હતો. અમારી પાસે 6 બોલર છે જે વિકેટ લઈ રહ્યા છે. તેણે સ્વીકાર્યું કે દરેક દિવસ દરેક સાથે ન થઈ શકે.
મિડલ ઓર્ડર નિષ્ફળ- બાબર
ભારત સામે બીજી મેચ હારી ગયેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે અમે સારી શરૂઆત કરી હતી, સારી ભાગીદારી હતી. અમે સારું ક્રિકેટ રમવા અને ભાગીદારી બનાવવાની રણનીતિ બનાવી હતી. પરંતુ અચાનક જ વિકેટો પડવા લાગી અને તે પછી અમે અમારી ઇનિંગને સારી રીતે સમાપ્ત કરી શક્યા નહીં. તે અમારા માટે સારું નથી, અમે જે રીતે શરૂઆત કરી, અમારું લક્ષ્ય 280-290 રન બનાવવાનું હતું, પરંતુ હારથી અમને નુકસાન થયું. અમે નવા બોલ સાથે સારું પ્રદર્શન કરી રહ્યા નથી. રોહિત જે રીતે રમ્યો તે શાનદાર ઇનિંગ હતી. અમે માત્ર વિકેટ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે થઈ શક્યું નહીં.
આ પણ વાંચો: Israel Hamas War/ એર ઈન્ડિયાએ આ તારીખ સુધી ઇઝરાયલની ફ્લાઇટ રદ કરી!
આ પણ વાંચો: World Cup/ વર્લ્ડકપમાં 8મી વાર પાકિસ્તાનને ધૂળ ચટાડીને ટોપ પર પહોંચી ભારતીય ટીમ!
આ પણ વાંચો: Ioc Session/ પીએમ મોદીએ પાકિસ્તાન સામેની જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા