મંતવ્ય ન્યૂઝ,
સુરતના બોરસરા જીઆઇડીસીની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. કંપનીમાં કોઇ અગમ્ય કારણોસર લાગેલી આગને કારણે સંપૂર્ણ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ 6 જેટલી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી. જો કે સદ્દનસીબે આ સમયે કોઇ ઉપસ્થિત ના હોવાથી જાનહાનિ ટળી હતી.