સુરત
સુરતના અડાજાણમાં 5 વર્ષના બાળક સાથે માતાએ આપઘાત કરવાની ઘટના સામે આવી છે. અડાજણના સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. પણ ચોંકાવનારી વાત એ છે કે પોતાના માસુમ પુત્રને 12માં માળેથી ફેંકીને માતાએ આપઘાત કર્યો હતો.
અડાજણ વિસ્તારમાં આવેલી સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટની ચંચળબેન પરીવર સાથે આ સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી. ચંચળબેને તેના પાંચ વર્ષના પુત્ર અલ્કેશને 12માં માળે પહોંચ્યા હતાં જ્યાં પહેલા બાળકને નીચે ફેંકી દીધો અને પછી ખુદ માતા પણ કુદી ગયા હતા.
મળતી માહિતી મુજબ પરણિતા અસ્થિર મગજની હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે માતાએ પોતાના જ બાળકને 12માં માળેથી ફેંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને પોતે આપઘાત કર્યો હતો. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ માતાએ ક્યા કારણોસર આ પગલા ભર્યા. આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.