Not Set/ બરવાળા : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ઘરકામ કરતી સગીરા પર ગુજાર્યો બળાત્કાર

બરવાળાના રોજીદ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુએ મંદિરમાં અને તેમના ઘરમાં કામ કરવા માટે સગીરાને બોલાવી સતત ચાર દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સગીરાએ બરવાળા પોલીસ સ્ટેશનમા નોંધાવી છે. બરવાળા તાલુકાના રોજીદ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ ઋષીપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી સંત છે. આ સાધુ દ્વારા ત્રણ મહિના પહેલા રોજીદ ગામની સગીરાને સ્વામિનારાયણ મંદિરમા કચરા […]

Top Stories Gujarat Others
4 1543430705 બરવાળા : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ઘરકામ કરતી સગીરા પર ગુજાર્યો બળાત્કાર

બરવાળાના રોજીદ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુએ મંદિરમાં અને તેમના ઘરમાં કામ કરવા માટે સગીરાને બોલાવી સતત ચાર દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સગીરાએ બરવાળા પોલીસ સ્ટેશનમા નોંધાવી છે.

બરવાળા તાલુકાના રોજીદ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ ઋષીપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી સંત છે. આ સાધુ દ્વારા ત્રણ મહિના પહેલા રોજીદ ગામની સગીરાને સ્વામિનારાયણ મંદિરમા કચરા પોતા કરવા તેમજ સાધુના ઘરે કચરા પોતા કરવા માટે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ ઘટના અંગે જો પરિવારજનોને કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ઘમકી પણ આપી હતી.

સગીરાને બજારમાં નીકળતી જોતા સાધુ તેની આગળ પાછળ ફરતો અને કચરા-પોતા કરવા કેમ નથી આવતી એવું કહી પીછો કરતો હતો. આખરે સાધુથી પરેશાન થઈને પીડિત સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રોજીદ ગામે સ્વામિનારાયણ મંદિર આશ્રમમાં રહેતા ઋષીપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજીએ અગાઉ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લઈ સાધુનો ભેખ ધારણ કર્યો હતો, પરંતુ વર્ષ 2008-2009માં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી તેને છૂટા કરવામાં આવ્યા હતા.